નવસારીના સુરખાઈ ખાતે આદિજાતિ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત જિલ્લાના આદિજાતિ ખેડૂત લાભાર્થીઓને કિટ/એસેટ વિતરણ કાર્યક્રમમાં સાંસદ સભ્યશ્રી ધવલભાઈ પટેલ ઉપસ્થિત રહીને 1800 લાભાર્થીઓને 84 લાખની કિટ વિતરણ કર્યું.
ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિજાતિ માટે અને ખેડૂત કલ્યાણ માટે અવિરત નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહી છે ત્યારે આ પ્રકારની યોજના આદિવાસી ખેડૂત માટે અત્યંત સહાયક સાબિત થશે. આ પ્રસંગે પૂર્વ મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત શ્રી પરેશભાઈ દેસાઈ, અધ્યક્ષ જિલ્લા ખેત ઉત્પાદન સિંચાઇ શ્રી નિકુંજભાઈ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી અંબાબેન માહલા ઉપસ્થિત રહ્યા હતા.
0 Comments