ચીખલી તાલુકાના સુરખાઈ ગામે શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળનું 17મું દ્વિવાર્ષિક સંમેલન યોજાયું.
તારીખ :૦૭-૦૧-૨ ૦૨૪નાં દિને ચીખલી તાલુકાના સુરખાઈ મુકામે શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળના 17માં દ્વિવાર્ષિક સંમેલન યોજાયું હતું.
જેમાં ગણદેવી વિધાનસભાનાં ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં તેમણે સર્વે જ્ઞાતિજનોને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અંત્યોદયના પ્રણને સાર્થક બનાવવા માટે પોતાના સમાજને સમજણ આપી, યોગદાનકર્તા બનવા માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યા હતા.
આ પ્રસંગે પૂર્વ સાંસદ શ્રી કાનજીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ભારતીબેન પટેલ, સમાજના શ્રેષ્ઠીઓ અને મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા.
0 Comments